Sale

Original price was: ₹520.00.Current price is: ₹416.00.

DALIT SAHITYA

978-93-5747-494-8 PAPERBACK FIRST EDITION , ,

Meet The Author

વિષયના સંદર્ભમાં ઘણાની અપેક્ષાથી ઉણા ઉતારવાનું સંભવ બન્યું હોય પણ ‘દલિત’ શબ્દની અર્થછાયાથી ઘણા હજુ બહાર નથી આવ્યા. ‘દલિત’ શબ્દ એ જાતિનો પર્યાયવાચી શબ્દ નથી જ.’ દલિત’ શબ્દ મૂક નથી તે તેની પરિભાષાને પોતે જ જન્મ આપે છે. દલિત તે છે કે જેનું શોષણ થતું હોય, દબાવવામાં આવ્યો હોય,  પીડા આપવામાં આવી હોય, ઉપેક્ષિત, અપમાનિત, પ્રતાડિત વ્યક્તિ જ દલિતની વ્યાખ્યામાં આવે છે. સાથે ‘દલિત’ શબ્દ આજે પ્રેરણા અને વિદ્રોહનો પર્યાયવાચી પણ છે.

એવા સમાજની લાગણીઓને, વેદનાને વાચા આપતું સાહિત્ય એટલે દલિત સાહિત્ય. આ તે સાહિત્ય છે જે એક વ્યક્તિને સાધના આસ્થા અને ચિંતન પ્રતિ ઉન્મુખ કરે છે. આ સાહિત્ય સ્વસ્થ, ઉચિત લક્ષ્યની તરફ માનવ સમાજમાં સમૃદ્ધિભાવ ઉત્પન્ન કરે છે. “માનવને માનવથી તોડવાને બદલે જોડે છે” દલિત સાહિત્યમાં સહાનુભૂતિ નહીં, સ્વાનુભૂતિની અભિવ્યક્તિ મુખ્ય આધાર છે. આ સાહિત્ય વાસ્તવવાદનું સાહિત્ય છે, વિચ્છિન્ન સમાજના પ્રતિભાવનું સાહિત્ય છે. વિશિષ્ટ વેદનાનું સાહિત્ય છે.

કવિ ઉમાશંકરને વાંચતા, અભ્યાસમાં સમજતા “ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે- ખંડેરની ભસ્મકણિ ન લાધશે”- એ પંક્તિ સતત મન ઉપર અથડાતી રહી અને ઘણા લાંબા વર્ષો પછી એ ચિંતનને શબ્દદેહ આપતા અને એ સ્વાનુભૂતિને શબ્દદેહે પ્રકટ કરતાં આનંદ જ થઈ રહ્યો છે. પુસ્તકને ઝીણવટપૂર્વક જોઈ ખૂબજ પ્રેરણાદાયક આશીર્વાદ આપવા બદલ ડૉ. દલપતભાઈ સાહેબનો હૃદયપૂર્વક ઋણ સ્વીકાર કરું છું. પ્રકાશન કાર્યમાં સહભાગી સૌનો આભાર.

Reviews

There are no reviews yet.

Be the first to review “DALIT SAHITYA”

Your email address will not be published. Required fields are marked *